Random Video

મુસ્લિમ પક્ષકારે કહ્યું- ચુકાદો તરફેણમાં આવે તો પણ વિવાદિત સ્થળે ફરી મસ્જિદ ના બંધાય

2019-10-18 10 Dailymotion

રવિ શ્રીવાસ્તવ, અયોધ્યા:સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી પૂરી થયા પછી અયોધ્યામાં ખાસ કોઈ હલચલ ન હતી પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે હાઈવેથી લઈને શહેરના અંદરના રસ્તા પર સુરક્ષા વધારાઈ રહી છે વિવાદિત પરિસરમાં સુરક્ષા દળોની વધારાની ટુકડીઓ તૈનાત કરાઈ છે નેવુંના દસકામાં ચરમસીમાએ પહોંચેલા મંદિર આંદોલન વખતે જૂલુસ રોકવા માટે બનાવેલી તમામ સુરક્ષા ચોકીઓ ફરી સક્રિય થઈ ગઈ છે ‘ભાસ્કર’ સાથેની વાતચીતમાં મુસ્લિમ પક્ષકારોએ કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટ અમારી તરફેણમાં ચુકાદો આપે તો પણ મસ્જિદ બનાવવાની તૈયારી નથી