Random Video

એક દાયકાથી દિવ્યાંગ દ્વારા સાણંદમાં શ્વાન માટે સદાવ્રત

2019-12-03 1,106 Dailymotion

અમદાવાદઃ દેશમાં અનેક લોકોએ ભૂખ્યાં સુવુ પડે છે, ત્યારે પશુ-પંખીની તો વાત જ ક્યાં કરવીપરંતુ કેટલાક એવા લોકો છે, જેમણે પોતાના જીવનનો મોટાભાગનો સમય પશુઓ માટે આપી દીધો છે અમદાવાદ જિલ્લાના સાણંદમાં રહેતા ગૌરાંગભાઈ પટેલ નામના દિવ્યાંગ વ્યક્તિ અને એક વૃદ્ધ પણ રખડતા શ્વાનને સાંજના સમયે નિયમિત રૂપે ખવડાવે છે આ સેવા કાર્ય માટે તેઓ પોતાની મૂડીમાંથી ખર્ચ કાઢીને રોટલી-રોટલા બનાવડાવે છે, માત્ર એટલું જ નહીં આખો દિવસ શ્વાન માટે 1000 જેટલી રોટલીઓ પણ એકત્ર કરીને રાત્રે શ્વાનને ખવડાવા માટે નીકળી પડે છે આ સદાવ્રતમાં ગૌરાંગભાઈ એક દિવસ પણ ચૂક્યા નથી