Random Video

સંજય રાઉતે કહ્યું,સાવરકરનો વિરોધ કરવાવાળા અંદામાન જેલમાં 2 દિવસ વિતાવે

2020-01-18 1,041 Dailymotion

વીર સાવરકર પર કોંગ્રેસ-શિવસેના ફરી સામ-સામે આવી ગયા છે છેલ્લા કેટલાક દિવસોથી બંને પાર્ટીઓના નેતાઓ પોતપોતાની વિચાર ધારા પ્રમાણે નિવેદનો આપી રહ્યાં છે ત્યારે તાજેતરના સાવરકરને ભારતરત્ન આપવા મુદ્દે કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણના નિવેદન અંગે શિવસેના નારાજ થઈ છે શિવસેના નેતા સંજય રાઉતે શનિવારે જણાવ્યું હતુ કે, ‘તમે કોઈપણ પાર્ટીના હોવ પણ વીર સાવરકરનું સન્માન થવું જ જોઈએ સાવરકરને ભારતરત્ન આપવાનો વિરોધ કરવાવાળા અંદામાન જેલમાં 2 દિવસ વિતાવે ત્યારે તેમને સાવરકારના ત્યાગનો ખ્યાલ આવશે’ ઉલ્લેખનીય છે કે, ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વીર સાવરકરને ભારત રત્ન એવોર્ડ આપવા અંગેની વાત કરી હતી જે બાદ આ અંગે વિવાદ છંછેડાયો છે