રાજકોટ:મુખ્યમંત્રી વિજય રૂપાણી, મનહર ઉધાસ, કરસન ઘાવરી સહિતના નામી ડોક્ટરો, વકીલો અને રાજકારણીઓ જ્યાં અભ્યાસ કર્યો તે વિરાણી હાઇસ્કૂલના મેદાનનો અમુક ભાગ વેચવા કાઢ્યો છે પરંતુ કલેક્ટરે આ મેદાન વેચી ન શકાય તેવું જણાવ્યું હોવા છતાં ટ્રસ્ટીઓ દ્વારા મેદાન વેચવા કાઢ્યું છે જેને લઇને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ લડતના મંડાણ કર્યા છે જમીન વેચાણમાં એક ટેન્ડર પણ આવ્યું છે જેને લઇને વિવાદ વધુ વકર્યો છે ચેરિટી કમિશનર રાવલ સમક્ષ જમીન વેચાણ મામલે સુનવણી પણ શરૂ થઇ છે જેમાં આગામી 11 ફેબ્રુઆરીના રોજ વધુ સુનવણી હાથ ધરાશે