Random Video

JDUમાંથી નીકાળ્યા બાદ પ્રશાંત કિશોરે કહ્યું- બિહારનો નેતા અંધભક્ત ન હોવો જોઈએ

2020-02-18 1,115 Dailymotion

જેડીયુમાંથી 29 ફેબ્રુઆરીએ કાઢ્યા પછી પહેલીવાર પટના પહોંચેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (પીકે)એ તેના ચૂંટણી ઈરાદા જાહેર કરી દીધા છે પીકેએ કહ્યું- છેલ્લા દોઢ વર્ષથી હું દરેક પ્લેટફર્મ પર કહેતો આવ્યો છું કે, હું એવા યંગ લોકોને જોડવા માંગુ છું કે જે બિહારને આગળ લઈ જાય નીતિશજીની પાર્ટી કહે છે કે, બિહારમાં ક્યારેય કશુ હતુ જ નહીં તેથી અમને જે યોગ્ય લાગ્યું તે કર્યું લાલુ સાથેની ટક્કર તો ઠીક છે પરંતુ તમે બીજા રાજ્યોની સરખામણીએ ક્યાં ઉભા છો તે પણ તમારે જણાવવું જોઈએ સુરતથી કોઈ વ્યક્તિ બિહાર કામ કરવા આવ્યા? તે ત્યારે જ થશે જ્યારે બિહારના નેતા કોઈના અંધભક્ત નહીં હોય