Random Video

બરવાળામાં ઝેરી દારુ પીવીથી 4 લોકોના ભેદી મોત

2022-07-25 801 Dailymotion

ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ આમ છતાં દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું હોય તેમ અવારનવાર દારૂનો જથ્થો તેમજ બૂટલેગરોને પોલીસ ઝડપી પાડીને કાર્યવાહી કરે છે. જો કે આ કાર્યવાહી કાગળ પર જ રહેતી હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ પણ ગુજરાતમાં લઠ્ઠાકાંડના અનેક બનાવો સામે આવ્યા છે, ત્યારે અમદાવાદમાં લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. જેમાં 4 જેટલા શખ્સોનું ભેદી સંજોગોમાં મોત થયું છે.