Random Video

PM મોદીની 94મી વખત મન કી બાત

2022-10-30 163 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે. મન કી બાતનો આ 94મો એપિસોડ હશે. દર વખતની જેમ સવારે 11 વાગ્યે પ્રસારિત થયો. આની પહેલા 25 સપ્ટેમ્બરે પીએમ મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે જોડાયા હતા. આ દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી અને ચંદીગઢ એરપોર્ટનું નામ ભગત સિંહના નામ પર કરવાનું એલાન કર્યું હતું. તમને જણાવી દઈએ કે 2014થી દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે જોડાય છે.

PM મોદીએ દેશવાસીઓને છઠ્ઠ પૂજાની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે પહેલાં ગુજરાતમાં આટલી છઠ્ઠ પૂજા નહોતી થતી. હવે ગુજરાતમાં પણ છઠ્ઠ પૂજા ઉજવાય છે. વિદેશોમાંથી પણ છઠ્ઠ પૂજાની ભવ્ય તસવીરો આવે છે. આ મહાપર્વમાં સામેલ થનાર સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા.