Random Video

મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે મોટા સમાચાર

2022-11-04 489 Dailymotion

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં ઓરેવા કંપની અને નગરપાલિકા વચ્ચેના કરાર મુદ્દે મોટો ખુલાસો થયો છે. મોરબી બ્રિજ અંગેનું એગ્રીમેન્ટ જનરલ બોર્ડમાં ઠરાવ પાસ કર્યા વિના થયું હતું. પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરાયો ન હતો. આ એગ્રીમેન્ટ પર ચીફ ઓફિસર અને પ્રમુખે સહી કરી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને પણ એગ્રીમેન્ટમાં સહી કરી હતી. 4 માર્ચે પાલિકામાં નિયુક્ત થયેલા ચીફ ઓફિસરે કરાર સોંપ્યો હતો અને 7 માર્ચે એગ્રીમેન્ટ કરી 8 માર્ચે બ્રિજ સોંપી દેવામાં આવ્યો હતો.