Random Video

બદ્રીનાથ ધામના કપાટ આજથી થશે બંધ, મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યુ

2022-11-19 293 Dailymotion

શિયાળાની ઋતુ માટે આજે શનિવારે બપોરે 3.35 કલાકે બદ્રીનાથ ધામના કપાટ બંધ કરવામાં આવશે. બદ્રીનાથ ધામના સિંહ દ્વારને ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યો છે. શુક્રવારે પાંચ પૂજાના ચોથા દિવસે દેવી લક્ષ્મીનું આહ્વાન કરીને પૂજા સંપન્ન કરવામાં આવી હતી. બદ્રીનાથ ધામના કપાટ બંધ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા અને કઢાઈ ભોગ ચઢાવવામાં આવ્યા હતા.